Total Pageviews

Sunday, July 31, 2011

શિક્ષિકાના આંસુ

એક સોમાવારે એક શિક્ષિકાએ તેના વર્ગમાં દરેક બાળકને બે કોરા કાગળો લેવાનું કહ્યું અને તેના પર વર્ગનાં તમામ વિદ્યાર્થીઓનાં નામ એકની નીચે એક એમ લખવાનું કહ્યું તેમાં પોતાનું નામ ન લખવા પણ જણાવ્યું અને કહ્યું કે દરેક નામની નીચે બે ત્રણ લીટી જેટલી જગ્યા રાખે.પછી તેમણે જણાવ્યું કે હવે દરેક વિદ્યાર્થીનાં બે-ત્રણ સારા ગુણો તેમાં લખો અને તમને તે વિદ્યાર્થી કેમ ગમે છે? તે જણાવો અને મને તે કાગળ પાછું આપો.પીરીયડ પૂરો થતાં શિક્ષિકાએ બધાની પાસેથી કાગળો ભગા કર્યા અને શનિવારે દરેકને કાગળ મળે તે રીતે વહેંચ્યા.દરેક કાગળ પર જે-તે વિદ્યાર્થીનું નામ હતું અને તેનામાં બીજા વિદ્યાર્થીઓએ શું સારું જોયું તેની નોંધ હતી.બધા જ વિદ્યાર્થીઓ “ખરેખર? મારામાં આટલા બધા સારા ગુણ છે? મને મારા વર્ગના આટલા બધા વિદ્યાર્થીઓ ચાહે છે?” એમ બોલીને આનદિત થઈ ગયા.
આ પછી શિક્ષિકાએ કે વિદ્યાર્થીઓએ ક્યારેય તેની ચર્ચા કરી નહીં, વાલીઓએ પણ આ માટે કાંઈ ચર્ચા ન કરી.માત્ર વિદ્યાર્થીઓ પોતાની જાતથી, અન્ય વિદ્યાર્થીઓથી અને આખો સમુહ એકમેકથી ખૂબ રાજી હતા.કેટલાય વર્ષો પછી આ સમુહમાંનો મલય નામનો એક વિદ્યાર્થી યુધ્ધમાં મૃત્યુ પામ્યો.આ શિક્ષિકા તેના અંતિમ સંસ્કાર વખતે વિદ્યાર્થીના ઘેર ગઈ.તેણે જોયું કે આ વિદ્યાર્થીના અંતિમ સંસ્કાર માટે વર્ષો પહેલાંના તે વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હતા.તેને અગ્નિસંસ્કાર માટે લઈ જાય તે પહેલાં મલયના એક મિત્ર સૈનિકે તે શિક્ષિકાને કહ્યું.”તમે જ મલયના ગણિતના શિક્ષિકા હતાને? મલય તમારી વારંવાર ખૂબ વાતો કરતો હતો.” મલયને અગ્નિસંસ્કાર આપ્યા પછી પાછા ફરેલા મલયના માતા-પિતાએ તે શિક્ષિકાની પાસે જઈ કહ્યું,”બહેન, એક મિનિટ જરા આ જુઓ તો…”.તેમણે નકશીકામ કરેલી એક લાકડાની નાની ડબ્બી ખોલી અને તેમાંથી એક કાગળ કાઢ્યો.જેમાં પેલો વર્ષો પહેલાનો કાગ હતો. તેના માટે તેના મિત્રોએ લખેલી વિગતો…શિક્ષિકાની આંખોમાં આંસુ આવી ગયા.મલયના તમામ મિત્રો બોલી ઉઠ્યા,” અમે પણ અમારા માટે લખાયેલ કાગળો સાચવી રાખ્યા છે.બહેન અમે તમને ખૂબ જ ચાહીએ છીએ.તમને અત્યંત આદરભાવથી પૂજીએ છીએ.અમારા આખાય અભ્યાસકાળ દરિમયાન એક માત્ર તમે જ અમને ભાન કરાવ્યું કે અમારામાં ઢગલાબ્ંધ સારા ગુણો છે.ત્યાર પછી અમે અમારામાં રહેલા અવગુણો જોવાનું શરૂ કર્યું અને તેને શક્ય તેટલા દૂર કરવાનો પ્રયત્ન કર્યો.અમે તમારા ખૂબ આભારી છીએ.
શિક્ષિકાની આંખોમાંથી  નીકળી પડ્યા.વર્ગમાં કરેલા એક નાનકડા પ્રયોગની કેટલી ગાઢ અસર થઈ હતી!!!!!!!!!!!! દરેકમાં ઘણા બધા સારા ગુણો હોય છે જ. આપણે કોઈનાય ખરાબ ગુણો જોવાને બદલે માત્ર તેનામાં રહેલા સારા ગુણો જોવાનું શરૂ કરીએ તો બધાને માટે જીવન સુખમય બની જાય.ચોમેર આન્ંદ,પ્રેમ,એકમેકના માટે સાચી લાગણી છવાયેલી જોવા મળે…

No comments:

Post a Comment