Total Pageviews

Sunday, May 20, 2012

કાંચનજંઘા – ભોળાભાઈ પટેલ









Friday, March 2, 2012

કનૈયાલાલ મુનશી

કનૈયાલાલ મુનશી 8 ફેબ્રુઆરી

economicasunp.edu.ar
શ્રી એલ.વી.જોષી
   
કલમના એક લસરકે જીવંત પાત્રસૃષ્ટિ સર્જનાર સાહિત્યકાર અને રાજનીતિજ્ઞ શ્રી ક.મા.મુનશીઓ જન્મ ઇ. સ.1887 માં ભરૂચમાં થયોહતો.બી.એ.એલએલ બી. થઇ વકીલાત શરૂ કરી સાથે સાથે લેખનકાર્ય પણ શરૂ કર્યું ભારતવ્યાપી હોમરૂલ ચળવળથી  રાજકારણમાં પ્રવેશી  કૉંગ્રેસી  પ્રધાનમંડળમાં મુંબઇ ઇલાકાનું  કપરું મનાતું ગૃહપ્રધાનપદ યશસ્વી કામગીરીથી ઉજાળ્યું.સ્વાતંત્ર્ય પ્રાપ્તિ  માટે સ્વતંત્ર ભારત બંધારણ ઘડનારી  બંધારણ સભામાં પોતાના કાયદાના જ્ઞાન અને બુદ્ધિથી મહત્વનો ફાળો આપ્યો.દેશી રાજયોના વિલીનીકરણ વખતે હૈદરાબાદ રાજયના એજન્ટની કામગીરી સફળતાપૂર્વક બજાવી. છેલ્લે ઉત્તરપ્રદેશના રાજયપાલ તરીકે  પણ રહ્યા અને લોકચાહના મેળવી.ગુજરતી સાહિત્યના  સમર્થ  ગદ્યસ્વામી તરીકે તેમનુંઉજ્જવણ  પ્રદાન છે. પાટણની પ્રભુતા’, ’ગુજરાતનો નાથ’, ’રાજાધિરાજની  નવલત્રયી વડે ગુર્જરભૂમિને નવું પરિમાણ આપ્યું.શ્રી મુનશીએ પોતાની આત્મકથા ખૂબ જ રસિક રીતે  લખી છે. સોમનાથ મંદિરના  પુન:સ્થાપનમાંશ્રી મુનશીએ  ભજવેલી ભૂમિકા અવિસ્મરણીય છે.સંસ્કૃત ભાષાના પુનરુત્થાન માટેના તેમના અથાક પ્રયાસોએ  તેમને  આંતરરાષ્ટ્રીય ખ્યાતી બક્ષી છે.8/2/1971 ની ઢળતી સંધ્યાએ તેમણે દેહત્યાગ કર્યો. અવિરત કાર્યરત રહી ગુજરાતી સાહિત્ય અને રાજનીતિની સેવા કરનાર શ્રી મુનશી સંસ્કારપુરૂષ તરીકે સદૈવ સ્મરણીય રહેશે.
વધું

Wednesday, February 1, 2012

મહાન વિચારક આચાર્ય રજનીશ

  મહાન વિચારક આચાર્ય રજનીશ – જનીશચંદ્ર મોહનનો જન્મ ઇ.સ.1931 માં મધ્યપ્રદેશના કૂચવાડા ગામમાં થયો હતો. એસ.એસ.સી.સુધીનો અભ્યાસ પૂર્ણ કરી જબલપુર આવ્યા  અને પછી એમ.એ.થઇ  પ્રોફેસર બન્યા.બાવીસ વર્ષની ઉંમરે તેમને પરમજ્ઞાનનો સાક્ષાત્કાર થયો હતો  અને આધ્યાત્મિક વૈચારિક  આંદોલન છેડયું હતુ તેમની સંમોહક વાણી અને અદભૂત  વ્યક્તિત્વ તેમના માટે આગવી ઓળખ હતી. તેમણે કોઇ  એક સંપ્રદાયના ઠેકેદાર બનવાને બદલે વિશ્વના દરેક વિષય પર સ્વતંત્ર વિચાર વહેતા મૂકયા છે  અને  તે પણ એક  આગવા એંગલથી.આધ્યાત્મિકતાના ઊંડાણ અને વિજ્ઞાનની  ઊંચાઇઓની અલૌકિક યાત્રા તેઓ તેમના પ્રવચનમાં કરાવતાં  તેમણે વિજ્ઞાનને ભાંડવાને બદલે તેના મહત્વને સ્વીકાર્યુ હતું. વિશ્વની 35 ભાષામાં તેમના લગભગ 600 જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે.ઓશો  કહેતા  ‘મારા વિચારોનો માનો નહીં,માપો,પ્રયોગ અને ચિંતન  દ્વારા પરખો,યોગ્ય લાગે તો સ્વીકારો.કારણ કે પછી  તે વિચારો મારાં નહીં હોય, તમારાં હશે. ’ તેમનો સંદેશ માનવ વિશ્વને વધુ માનવ બનાવશે તેમા સંદેહ નથી. ‘મૈં સિખાને નહીં જગાને આયા હું’. એ તેમને ગમતું વાક્ય છે.19/1/1990 ના  રોજ તેમનું દેહાવસાન  થયું.મુક્તગગનનું પંખી  મુક્તિનો રાહ કંડારી  પ્રયાણ કરી ગયું.તેમની  સમાધિ ઉપર લખ્યું છે : “ OSHO  never born,never died only. “ ઓશો-જેમનો ન તો જન્મ છે,ન મૃત્યુ