Total Pageviews
Sunday, May 20, 2012
Friday, March 2, 2012
કનૈયાલાલ મુનશી
કનૈયાલાલ મુનશી 8 ફેબ્રુઆરી
![]() |
| economicasunp.edu.ar |
કલમના એક લસરકે જીવંત પાત્રસૃષ્ટિ સર્જનાર સાહિત્યકાર અને રાજનીતિજ્ઞ શ્રી ક.મા.મુનશીઓ જન્મ ઇ. સ.1887 માં ભરૂચમાં થયોહતો.બી.એ.એલએલ બી. થઇ વકીલાત શરૂ કરી સાથે સાથે લેખનકાર્ય પણ શરૂ કર્યું ભારતવ્યાપી હોમરૂલ ચળવળથી રાજકારણમાં પ્રવેશી કૉંગ્રેસી પ્રધાનમંડળમાં મુંબઇ ઇલાકાનું કપરું મનાતું ગૃહપ્રધાનપદ યશસ્વી કામગીરીથી ઉજાળ્યું.સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે સ્વતંત્ર ભારત બંધારણ ઘડનારી બંધારણ સભામાં પોતાના કાયદાના જ્ઞાન અને બુદ્ધિથી મહત્વનો ફાળો આપ્યો.દેશી રાજયોના વિલીનીકરણ વખતે હૈદરાબાદ રાજયના એજન્ટની કામગીરી સફળતાપૂર્વક બજાવી. છેલ્લે ઉત્તરપ્રદેશના રાજયપાલ તરીકે પણ રહ્યા અને લોકચાહના મેળવી.ગુજરતી સાહિત્યના સમર્થ ગદ્યસ્વામી તરીકે તેમનુંઉજ્જવણ પ્રદાન છે. ’પાટણની પ્રભુતા’, ’ગુજરાતનો નાથ’, ’રાજાધિરાજ’ ની નવલત્રયી વડે ગુર્જરભૂમિને નવું પરિમાણ આપ્યું.શ્રી મુનશીએ પોતાની આત્મકથા ખૂબ જ રસિક રીતે લખી છે. સોમનાથ મંદિરના પુન:સ્થાપનમાંશ્રી મુનશીએ ભજવેલી ભૂમિકા અવિસ્મરણીય છે.સંસ્કૃત ભાષાના પુનરુત્થાન માટેના તેમના અથાક પ્રયાસોએ તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતી બક્ષી છે.8/2/1971 ની ઢળતી સંધ્યાએ તેમણે દેહત્યાગ કર્યો. અવિરત કાર્યરત રહી ગુજરાતી સાહિત્ય અને રાજનીતિની સેવા કરનાર શ્રી મુનશી સંસ્કારપુરૂષ તરીકે સદૈવ સ્મરણીય રહેશે.
વધું
Wednesday, February 1, 2012
મહાન વિચારક આચાર્ય રજનીશ
Subscribe to:
Posts (Atom)
